અંતરજાળમાં 26 વર્ષીય યુવાને જીવનલીલા સંકેલી

suicide

copy image

suicide
copy image

ગાંધીધામના અંતરજાળમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અંતરજાળની પરશુરામ સોસાયટીમાં રહેનાર યોગેશ જરૂ નામના યુવાને જીવનનું  અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર યોગેશ જરૂ નામના યુવાને છતના પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.