બાળકો પણ મકરસંક્રાતિ આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પતંગ ફિરકી ની કીટ અપાઇ

ભુજ. મકરસંક્રાતિ ના તહેવારો બાળકો પણ આનંદથી ઊજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે બાળકોને પતંગ ફિરકી નું વિતરણ સાથે અલ્પાહાર કરાવવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિતા મીરા સચદે ની સ્મૃતિમાં વિતરણ કરવા માં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ ફિરકી કીટનું વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્ય માં સત્યમ સંસ્થા દર્શક અંતાણી અને અન્યો અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો મકરસંક્રાંતિ નો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદે ની સ્મૃતિ માં દર વર્ષે બાળકોને પતંગ ફિરકી ની કિટ આપવાનો કાર્યક્રમ યોજાય છે તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે મકરસંક્રાતિ પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છા પાઠવ્યા બાદ પતંગ ફિરકી કીટનું વિતરણ શંકરભાઇ સચદે ના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટ ની સાથે શિયાળા ને ધ્યાને લઈ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજ ના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી,નરેન્દ્રભાઈ સ્વાદિયા,અને અંકિતા ધોકાઈ રામુ બેન પટેલ માલ શ્રી બેનગઢવી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા આ તકે ધારા શાસ્ત્રી શંકરભાઈ સચ દેના હસ્તે પતંગ ફીરકી ની કીટ વિતરણ અને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો એક જગ્યાએ એકઠા કરીને વિતરણ કર્યા બાદ ભુજ શહેરના

અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પતંગોનું વિતરણ અને ફિરકી નું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ પતંગ ફિરકી કિટમાં બાળકો ને ધ્યાન માં લઇ ને કીટ ખાસ બનાવવામાં આવી હતી,ઉપરાંત વર્ષમાં આવતા નવરાત્રી, હોળી,દિવાળી, જેવા અન્ય પ્રસંગો પણ ડો. કવિતા (મીરાં) સચદેની યાદ માં માનવીઓને ખાસ યાદ કરવામાં આવે છે