ગાંધીધામમાં 56 વર્ષીય આધેડે એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
copy image

ગાંધીધામમાં 56 વર્ષીય આધેડે એસિડ ગટગટાવી લઈ જીવનનો અંતિમ માર્ગ પકડી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામમાં રહેનાર કિરીટ જોશી નામના આધેડ પોતાના ઘરે હાજર હતા. તે સમયે કોઈ અકળ કારણોસર એસિડ પી લેતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.