માંડવી ખાતે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે
માંડવી ખાતે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ રવિવારના રોજ સ્થળ શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, ગામ-શ્રીરામનગર (તલવાણા) માંડવી ખાતે સમય : સવારે ૦૯:૩૦ કલાકે યોજાશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઘટક પ્રાકૃતિક કૃષિ કોન્કલેવ/ મેગા શિબિર/ તાલીમ / મેળા / પ્રદર્શન / સેમીનાર હેઠળ કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે તેવુ નાયબ ખેતી નિયામકશ્રી (તા.) ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.