સંઘડ નજીક આવેલ શેલ્ટર હોમમાં આધેડે કર્યો આપઘાત

copy image

copy image

અંજાર ખાતે આવેલ સંઘડ ગામ નજીક શેલ્ટર હોમમાં 52 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે, જે મુજબ શિણાયની અરાવલી સોસાયટીમાં રહી આદિપુરમાં પી.એમ. આંગડિયા પેઢી ચલાવી તેમજ જમીનનો વ્યવસાય ધરાવનાર હતભાગી એવા દિલીપભાઇએ ગત તા. 17/1થી બીજા દિવસના સમયગાળા દરમ્યાન જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ દિવસે હતભાગીએ તબિયત સારી ન હોવાથી ઘરે જમવા માટેની ના કરી હતી. બાદમાં ઘણો સમય વીતી ગયા છતાં પણ આધેડ પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી. બાદમાં આ આધેડ સંઘડ બાજુ શેલ્ટર હોમ પાસે મળી આવ્યા હતા. હતભાગીએ આ શેલ્ટર હોમના બીમના સળિયામાં દોરી બાંધી ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.