ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, કૂખમાં રહેલા બાળક અને માતા મોતને ભેટ્યા

ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં ડિલીવરી દરમિયાન ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે આ મહિલાનું મોત થયું હોવાનો મહિલાના પરિજનોએ આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર જ નથી એવું જાણવા મળ્યું છે.

ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સ્ફાટની બેદરકારીથી એક ગર્ભવતી મહિલા અને તેના બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન રહેતા અને સ્ટાફની બારે બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાને સમયસર યોગ્ય સારવાર ન મળતા આ ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ સવારે 6 વાગે મહિલાના પરિજનો દર્દીને હોસ્પિટલ લઈ આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેમને પરત મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *