માનકૂવામાં 42 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

માનકૂવામાં 42 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, માનકૂવાના જૂનાવાસમાં રહેતા મંશીલાલ સૂર્યવંશી નામના આધેડ ગત રાત્રે પોતાના ઘરે હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.