નિરોણામાં વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી
copy image

નખત્રાણા ખાતે આવેલ નિરોણામાં 62 વર્ષીય વૃદ્ધે ઝેરી દવા ગટગટાવીને જીવનનું અંતિમ પગલું ભરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, નિરોણા ગામમાં રહેતા ખેતાભાઈ આહીર નામના વડીલ વાડી પર હાજર હતા, તે સમયે કોઈ અકળ કારણોસર દવા પી લેતાં તેમને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ અપાસ આરંભી છે.