ભચાઉના ઘરાણામાં ખેતર મામલે આધેડ ઉપર છરી વડે હુમલો કરાતા ચકચાર

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ઘરાણામાં ખેતર મામલે આધેડ ઉપર છરી વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આ બનાવના ફરિયાદી એવા મુંબઇના અંધેરીમાં રહી સ્ટેશનરીની દુકાન ચલાવતા હરિ પચાણ ડાયા ડાંગર નામના આધેડે બે વર્ષ -પૂર્વે ભીમા કાના ડાંગર પાસેથી ઘરાણાની સીમમાં ખેતર ખરીદ્યું હતું, બાદમાં સારું વળતર મળતું હોવાના કારણે ભીમા ડાંગર અને તેના ભાઇઓ આ ખેતર પરત માગતા હતા. પરંતુ ફરિયાદીએ ખેતર આપાવાની ના કરતાં આરોપી શખ્સોએ ખેતર કેમ પરત નથી આપતો, તેમ કહી આ આધેડ ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.