રામનવમીના પાવન પર્વ નિમિત્તે અભિજિત મુહૂર્તમાં રામમંદિરમાં રામલલાને સૂર્યતિલક કરાયું
copy image

ગત દિવસે રામનવમીના પાવન પર્વ નિમિત્તે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામમંદિરમાં રામલલાને સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. નવ મિનિટ સુધી ભગવાનનાં લલાટે આ કિરણો પડયાં હતાં. પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાને આ બીજું સૂર્યતિલક કરવામાં આવેલ હતું. આ શુભ પ્રસંગે અયોધ્યામાં 10 લાખ રામભક્તો પહોંચ્યા હતા. આ પવન પર્વ નિમિત્તે 14 પૂજારી ગર્ભગૃહમાં હાજર રહી અને વિશેષ પૂજા-આરતી કર્યા હતા. રામલલાને 56 પ્રકારનાં વ્યંજનનો ભોગ ધરાવાયો હતો. ચાર લેન્સ અને ચાર અરીસાની મદદથી ગર્ભગૃહ સુધી રામલલાનાં લલાટ સુધી સૂર્યનાં કિરણો પહોંચાડાયાં હતાં.