નાણાંકીય વર્ષના અંતે સરકારી કામકાજ માટે ટ્રેઝરી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે :  કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલનો મહત્વપૂર્ણ આદેશ

 નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ પૂર્ણ થઈ રહ્યું હોવાથીચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સરકારની ગ્રાન્ટમાંથી ટ્રેઝરી કચેરી દ્વારા અમુક ચૂકવણીઓ કરવાનું જરૂરી બને છે. આ કામગીરીને પહોંચી વળવા અને સરકારી કામકાજ સુચારુરૂપે ચાલે તે માટેકચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જી.ટી.આર. ૨૦૦૦ ના નિયમ ૩૦૫ હેઠળ મળેલી સત્તાની રૂએ એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબભુજ જિલ્લા ટ્રેઝરી હેઠળની તમામ જિલ્લા ટ્રેઝરી અને સબ-ટ્રેઝરી કચેરીઓ મંગળવારતારીખ ૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૧૦ વાગ્યા સુધી અને ત્યારબાદ આગળની સૂચના ન મળે ત્યાં સુધી સરકારી કામકાજના વ્યવહારો માટે કાર્યરત રહેશે.

        આ ઉપરાંતસરકારી રોકડ વ્યવહારોનું સંચાલન કરતી બેંકોને પણ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભુજમાંડવીમુન્દ્રાઅંજારભચાઉગાંધીધામનખત્રાણાનલિયા અને દયાપર શાખાઓતેમજ બેંક ઓફ બરોડાની રાપર શાખાનો સમાવેશ થાય છે. આ તમામ બેંક શાખાઓ પણ મંગળવાર૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૧૦ વાગ્યા સુધી અને ત્યારબાદ આગળની સૂચના ન મળે ત્યાં સુધી સરકારી કામકાજ માટે ખુલ્લી રહેશે. સરકારી નાણાંકીય લેવડદેવડ માટે જરૂર જણાય તો સંબંધિત બેંક મેનેજરોને ૩૧મી માર્ચના રોજ ટ્રેઝરી અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા માટે આદેશમાં જણાવાયું છે.