કવાયત વચ્ચે મોદીને મળ્યા પવારના સાંસદો

શરદ પવાર જૂથના આઠ સાંસદે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાતે સીમાંકન વિધેયક પર સમર્થન મેળવવાના સરકારી પ્રયાસો વચ્ચે રાજકીય અટકળો જગાવી હતી. માહિતી મુજબ સંસદનાં ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહની શરૂઆત સાથે આ બેઠક થઇ હતી. કેન્દ્ર સરકાર સંસદમાં સીમાંકન અને એફસીઆરએ ખરડા પસાર કરાવવા માટે પ્રમુખ વિપક્ષોનું સમર્થન મેળવવા વ્યાયામ કરી રહી છે, ત્યારે આ મુલાકાત મહત્ત્વ ધરાવે છે. દરમ્યાન, એનસીપી-એસપીના સાંસદોએ જણાવ્યું હતું કે, આ એક સૌજન્ય મુલાકાત જ હતી, જેમાં મહારાષ્ટ્રના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. વિવિધ અહેવાલોમાં એવો સંકેત અપાયો હતો કે, પવારનો પક્ષ સીમાંકન સુધારા વિધેયક માટે કેન્દ્ર સરકારને સમર્થન આપી શકે છે.