સમુદ્રમાં નવા ચક્રવાતની ગતિવિધિ
દેશમાં નેઋઍત્યના ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે અને 19 સપ્ટેમ્બરથી ચોમાસું રાજસ્થાનથી પરત ફરવાની તારીખ હવામાન વિભાગે નક્કી કરી છે.સૂત્રો પરથી મળતી માહિતી જો કે આ દરમિયાન એક નવી સિસ્ટમ દેશના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગમાં વરસાદની નવી ઈનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં મોસમી સિસ્ટમના કારણે દેશભરના ઘણા વિસ્તારમાં આંધી-તોફાન સાથે જોરદાર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર થાઈલેન્ડ ઉપર બનેલી ચક્રવાતી સિસ્ટમ 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર અંદામાન સાગર પહોંચી શકે છે. તેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજે ઓછા દબાણનું ક્ષેત્ર બનવાનું અનુમાન છે. આ પ્રણાલી આગામી ત્રણ ચાર દિવસમાં આગળ વધતા ઓરિસ્સા તરફ ફંટાઇ શકે છે. આઈએમડીએ કહ્યું હતું કે, આ પ્રણાલીના પ્રભાવથી 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અમુક સ્થળે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં વરસાદની સ્થિતિમાં તેજીની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું હોવાથી વરસાદની શક્યતા છે. પૂર્વી રાજસ્થાન, પંજાબ, દિલ્હી, પશ્ચિમ યુપી વગેરે સ્થળે પણ વરસાદ પડી શકે છે.