શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન 8 દિવસ અનુકંપા દાન કરવામાં આવ્યું.

શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન જરૂરત મંદ શ્રમજીવી લોકોને અનુકંપા દાન રૂપે ભોજન આપવામાં આવ્યું.

પ.પુ.શ્રી.સા.ભ.પુષ્પાશ્રીજી મા.સા. તથા તપ પ્રભાવિકા શ્રી. હંસકિર્તિશ્રીજી મા. સા.ની પ્રેરણાથી સંવત્સરીના દિવસે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી સારો ફંડ ભેગો થયો હતો અને મહાવીર જન્મ વાંચનના દિવસે ભચાઉ શહેરના તમામ દેરાસરોના સ્ટાફને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.

તમામ વ્યવસ્થા મહાવીર અનુકંપા કેન્દ્ર સભ્યશ્રીઓએ સંભાળી હતી. ( રિપોર્ટ બાય – અસલમ સોલંકી ભચાઉ – કરછ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *