ભુજથી જામનગર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ કચ્છના સુરજબારી પુલ પાસે પલ્ટી ખાઈ જતા ૨૦ને ઈજા

ખાનગી ટ્રાવેલ્સની આઈસર કંપનીની બસમાં મુસાફરો ભરી અને જામનગર જતી ખાનગી ટ્રાવેલ્સની બસ માળીયાથી આગળની તરફ સુરજબારીના પુલ પાસે એકાએક પલ્ટી ખાઇ ગઈ હતી : જેના કારણે બસમાં બેઠેલા ૨૦ થી ૨૫ મુસાફરોને નાની – મોટી ઈજાઓ પહોંચી છે : જો કે માળીયાથી તાત્કાલીક ૧૦૮ને બોલાવી લેવાઈ હતી તેમજ મુસાફરોની સંખ્યા વધુ હોય જેતપર અને મોરબીથી પણ વધારાની ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે નજીકના દવાખાનામાં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી