ભુજ શહેરમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટની વિધાર્થીઓને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવ્યું તેવા આક્ષેપો

ભુજ શહેરમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટની વિધાર્થીઓને જાણવા મળતી વિગતો અનુસાર સ્ટાફ દ્વારા શારિકરીતે ટોર્ચર કરવામાં આવ્યું તેવા આક્ષેપો કરતાં ત્યાં અભ્યાસ કરતી વિધાર્થીઑ જણાવ્યુ છે.આ બાબતે લોકોએ ટ્રસ્ટી ને પણ જાણ કરી છે.અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી કરી છે.તેમજ પ્રિનસિપાલ શ્રીએ આ વાતને દબાવી નાખવામાં આવે તેવું વિધાર્થીઓ જોડે લેખિતમાં લખાવ્યું છે તેવા પણ પ્રિનસિપાલ શ્રી પર આ વિધાર્થીનીઓએ આક્ષેપો કર્યા છે.તો આ બાબતે વિધાર્થીઓની સાથે વાલીઓએ પણ આ બનાવનો રોષ વ્યક્ત કર્યો છે.આ હોસ્ટેલમાં ભણતી દીકરીઓને ન્યાય મળે અને આ લોકો જોડે જે કૃત્ય થયું છે. તેનો કડક કાર્યવાહી થાય તેવી વાલીઓએ માંગ કરી છે.

રિપોર્ટર બાય – કરણ વાઘેલા