ગુજરાતમાં 75 તાલુકામાં મેઘરાજાની મહેર

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે. ત્યારે આજે પણ સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં 75 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ 127 મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે.