રાજુલાનાં ડુંગર ફાટક નજીક ટ્રેન હડફેટે લેતા આધેડનું મોત નીપજયું

ડુંગર ફાટકથી પીપાવાવ જતાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન સાથે અથડાતા આધેડનું મોત થયું હતું.
રાજુલા ગામે શ્રમજીવીનગરમાં રહેતા ભીખાભાઈ નારણભાઈ રાઠોડ નામના 55વર્ષીય આધેડને માનસિક બિમારી હોય, અને અવાર-નવાર કોઈને કહયા વગર ઘરેથી નીકળી જતા હોય ત્યારેગુરૂવારે સાંજના સમયે રાજુલા ડુંગર ફાટકથી પીપાવાવ જતાં રેલ્વે પાટા ઉપર માનસિક બિમારીના કારણે ટ્રેન સાથે અકસ્માતે અથડાઈ જતાં તેમનું મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.