ભુજ: પીટીસી કોલેજમાં ફરી એડમિશન ચાલુ કરવા સરકારનું સૂચન

કચ્છમાં ભુજ ખાતે આવેલી પીટીસી કોલેજ એકાએક બંધ કરવાની પેરવી કરાઈ હતી. જે અંગે રાજકીય નેતાઓએ અવાજ ઉપાડતા સરકારે ત્વરિત નવો પરિપત્ર બહાર પાડી કોલેજ ચાલુ રહેશે એવી ધરપત આપતા કચ્છના વિદ્યાર્થીઓને અન્યાય થતા અટક્યો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન હસ્તક આ કોલેજનું સંચાલન કરવામાં આવે છે. શિક્ષક બનવા માટે ઉપયોગી ડીએલએડનો કોર્સ અહીં કરાવાય છે. ભુજની આ એકમાત્ર સરકારી પીટીસી કોલેજ છે બે દિવસ પૂર્વે સરકારે પરિપત્ર બહાર પાડી આ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા સૂચના આપી હતી. આ નિર્ણયથી કચ્છના હજારો વિદ્યાર્થીઓને અન્યાય થાય એમ હતો. જો આ કોલેજ બંધ થાય તો કચ્છના વિદ્યાર્થીઓને મોરબી જવું પડે તેવી સ્થિતિ સર્જાત વિદ્યાર્થીઓના હિતમાં આ કોલેજ બંધ કરવામાં ન આવે તે માટે કોંગ્રેસના નેતા પી.સી ગઢવી દ્વારા તરત જ શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જેનો પડઘો પડતા અહીં એડમિશન શરૂ કરવા સરકારે ફરી સૂચના આપી છે. જેથી આ કોલેજ શરૂ થતા કચ્છના વિદ્યાર્થીઓમાં ફરી ખુશી જોવા મળી છે.