સંજયલીલા ભાંણસાલીની ફિલ્મ પદ્માવત ને રીલીઝ મુદ્દે મુંદરા તાલુકાના કરણી સેનાના પ્રમુખ ધ્રુવરાજ ચુડાસમાએ થીયેટરના માલીકને આ ફિલ્મ ન લગાડવા માટે ચેતવણી સાથે ચીમકી આપી.

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝ મુદ્દે સુપ્રીમ કોર્ટ લીલીઝંડી આપી દીધા બાદ પણ કચ્છમાં ફિલ્મની રીલીઝ મુદ્દે ઠેર-ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ઇતિહાસ સાથે છેડછાડ કરીને મહારાણી પદ્માવતીના જીવનચરિત્રને પ્રદર્શીત કરતી ફિલ્મ પદ્માવતને લઈને સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. તેવામાં જ મુંદરા તાલુકાનાં કરણી સેનાના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાએ પદ્માવતી ફિલ્મ બાબતે ચેતવણી સાથે ચીમકી આપતા જણાવ્યું હતું કે, થીયેટર માલીકોને આ ફિલ્મ ન લગાડવા માટે સુચના આપવામાં આવશે અને જો આ ફિલ્મ લગાડવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી થીયેટરના માલીકની રહેશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *