કેરા ગામે આવેલ તળાવોનું સમારકામ ન થતાં, લોકોને હાલાકી

કેરા: લગભગ ગામોમાં તળાવો કે ચેક ડેમનું સમારકામ થતું હોય છે. અથવા થઈ ચૂક્યું હોય હતું પણ કેરા ગામે આવેલ ત્રણ તળાવો આવેલા છે. તેમાં થી એક પણ તળાવ પ્રાણીઓ કે માણસોને ઉપયોગી આવે તેમ નથી જે તળાવ વધુ જૂના તળાવો છે. પણ આજ સુધી એક પણ તળાવનું કામ કરાયું નથી હાલ આવ મીઠો મોરો તળાવ જોશો તો ક્યાથી પ્રાણીઓ પાણી પીવા માટે જઈ શકે તેવી હાલત નથી નવી તળાવ પણ લીકેજ હોવાથી તેમાં પાણી નો સંગ્રહ રહેતો નથી તેમ કપિલ કોટ ગ્રાઉન પાસે આવેલ તળાવ પણ ખરાબ હાલત માં જોવા મળે છે. વરસાદ માં થોડા ભરાઈ પણ ગયા છે પણ કોઈને ઉપયોગી બને તેમ નથી તો શું આ તળાવો નું સમર કામ નહીં કરાવાય કે શું તેવું ગામ લોકો વિચારી રહ્યા છે.