સરહદી આ જિલ્લામાં નવા પ્રકારના નશાનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું હોવાની ચર્ચા થવા લાગી છે. આ અંગે ચોક્કસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોક્કસ પ્રકારની દવાઓ અને ગોળીઓનું વેચાણ જોરશોરમાં થઈ રહ્યું છે. જેના વેચાણને લઈને મેડીકલ સ્ટોર્સ માલિકોથી લઈને સૌ કોઈએ ચોક્કસ ગાઈડલાઈન અનુસરવા થતી હોય છે. પરંતુ જિલ્લા માથક ભુજ સહિતના શહેરી વિસ્તારોમાં મેડીકલ સ્ટોર્સવાળા કેટલીક નશાયુક્ત સીરપ, દવા, ગોળીઓ સહિતનું બેરોકટોક વેચાણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના યુવાધનને નશાની લત લગાડવા માટે કચ્છ જિલ્લામાં અમુક મેડીકલ સ્ટોર્સ પર ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર વેચવામાં આવતી હોવાની વાત સામે આવી છે. બેરોકટોક થતા આવા કૃત્ય સામે તંત્ર પણ ભેદી મૌન સેવી રહ્યું છે. આ અંગે જાણકારો દ્વારા મળતી વધુ વિગતો મજુબ અમુક સીરપ, દવા, ગોળી, ઈન્જેકશનોમાં નશો હોય છે. જે અમુક રોગના દર્દીઓને ડોકટરની ભલામણ મુજબ અને ચોક્કસ માત્રામાં જ આપી શકાય આવી નશાયુક્ત દવાઓના વધુ પડતા સેવનાથી આરોગ્ય પણ જોખમાઈ શકે છે. આવી દવા વેચનારા પાસે સર્ટીફિકેટ હોવું પણ જરૃરી છે. પરંતુ કચ્છમાં અમુક મેડીકલ સ્ટોર્સમાં આ દવા બેરોકટોક વેચાઈ રહી છે. વ્યસનના રવાડે ચડેલો વ્યક્તિને દારૃ કે કેફી દ્રવ્ય ન મળે ત્યારે આલ્કોહોલ મિશ્રિત આવી નશાયુક્ત સીરપ કે ગોળી મેડીકલ સ્ટોર્સમાંથી ખરીદી નશો કરી લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કફની મોટાભાગની સીરપમાં આલ્કોહોલ હોય છે. સમગ્ર કચ્છમાં હજારો મેડીકલ સ્ટોર છે પરંતુ તમામ મેડીકલ સ્ટોરવાળા આવી દવાઓ નાથી વેચતા પરંતુ ગણ્યા ગાંઠયા દવાની દુકાનવાળા પૈસાની લાલચમાં આવી દવાઓ વેચતા હોવાની ચોક્કસ માહિતી મળી હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે જાગૃત પ્રજાજનોને જાણકારી છે. પરંતુ તંત્ર સાવ અજાણ છે. ફરિયાદ આવશે તો ચેકીંગ કરવાનો જવાબ આપી હાથ ઉંચા કરી દેવાય છે. નશાવાળી દવાના વેંચાણની પ્રવૃતિ પર રોક લગાવવી જરૃરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી