ગાંધી નિવાર્ણ દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે ભીમરાવ પાઠશાળા ભુજ દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા સહિત અન્ય કાર્યક્રમો યોજાયા.

ભુજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી નિર્વાણ દિન નિમિતે ભીમરાવ પાઠશાળા-ભુજ  દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા-૨૦૧૮,પ્રતિમાના હારારોપણ અન્ય કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે આગેવાનો શાળા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓએ ગાંધી વિચારધારા,ગાંધીમુલ્યો,ગાંધીએ બતાવેલ લડત માટે અહિંસા માર્ગ તેમજ તેમના દ્વારા દેશ માટે અપાયેલ યોગદાનની સરાહના કરવામાં આવી હતી.તેમજ આ દેશને એક ઉચ્ચવિભૂતિ મળી ને બદલે ગર્વ લાગણી છે તેવું કહ્યું હતું તેમજ લોકશાહીમાં નાગરિકે પોતાની ફરજ બજાવવા હરહમેશા તૈયાર રહેવા જણાવ્યું હતું તેમજ દેશના મુલ્યો,બંધારણ,હક્કો,સંસ્કૃતિની જાળવવી કરવાની અપીલ કરાઇ હતી.આ પ્રસંગે વિભાકર અંતાણી,ત્રિવેણીબેન શુક્લ,જ્વાનિકાબેન પાઠક,ભૈરવીબેન વૈધ,પુસ્પાબેન સોલંકી,દક્ષાબેન.ડી.બારોટ વગેરે હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *