ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. બપોરે 2.30 વાગે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે તેમનું પાર્થિવ શરીર રાખવામાં આવશે. સવારે સવા 9 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી.પૂર્વ રાષ્ટ્રપતિ અને ઈન્દીરા, રાજીવ ગાંધી અને મનમોહનસિંહની સરકારમાં જુદા જુદા પદ પર કામ કરી ચૂકેલા પ્રણવ મુખર્જી કદાચ જનનાયક નહોતા; છતાં લાંબા સમય સુધી રાજકીય ટીમો એક અથવા બીજા ભૂમિકા ભજવી દેશના રાજકીય જીવન સાથે વણાયેલા રહ્યા હતા. ગઈકાલે તેમના નિધન પથી રાજકીય નેતાઓ અને તેમને નજીકથી જોનારા અતિ પરિચિત નેતાઓએ શ્રદ્ધાંજલી આપી તેમાં પ્રણવદાનું બહુમુખી વ્યક્તિત્વ પ્રતીત થાય છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી. આર્મી હોસ્પિટલમાંથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો પાર્થિવ દેહ તેમના સરકારની આવાસ પર લાવવામાં આવ્યો.મોદી કેબિનેટની બેઠક આજે 11 વાગે વીડિયો કૉન્ફરન્સ દ્વારા થશે. કેબિનેટની બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે જ તેમના નિધન પર એક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના સમ્માનમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે પ્રણવ મુખર્જીના જવાથી એક ખાલીપણુ આવી ગયુ છે. તેઓ ઉદાર અને દયાળુ હતા, જે વાતચીત દરમિયાન એવુ વ્યક્ત નહોતા થવા દેતા હતા કે હુ ભારતના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો છે. રાજકીય મતભેદો છતાં, તમામને પોતાના બનાવવા તેમની પ્રકૃતિમાં હતુ. તેઓને હંમેશા યાદ કરાશે.સિંધવીના જણાવ્યા મુજબ મોડીરાત્રે તેમના મગજને ઈજા થઈ એ દિવસે પણ તેમણે સવાર-સાંજ મળી 7થી8 કિમીનો વોક પુરો કર્યો હતો અને સૂતા પહેલાં તેમની ખજાના જેવી ડાયરીમાં નોંધ લખી હતી.પ્રણવદાની ખાસ વાત ચટ્ટાન જેવી મકકમતા હતી. આર્થિક વિચારધારાની દ્દષ્ટિએ તે મધ્યમ માર્ગી હતા. બંધારણીય-કાયદાકીય પ્રક્રિયા, નિયમો, પરંપરા અને પ્રથા તેમણે પુરેપુરા પચાવ્યા હતા. લાયસન્સ રાજથી માંડી ઉદારીકરણ સુધીની ભારતીય અર્થતંત્રની સફરનો તેમને સુદીર્ઘ અનુભવ અને એક હિસ્સો હતા.તેમની પ્રતિભા લેજન્ડરી હતી. છેક અસંબંધીત વિષયો પર નિર્ણય લેવા માટે સંકળાયેલી ગુંચવણો પણ પોતાના અગાવ જ્ઞાનથી ઉકેલી નાખતા હતા. સિંધવીના મતાનુસાર તેમની વૈચારિક પ્રતિબદ્ધતા સ્પષ્ટ અને એકધારી હતી, તે કદાચ ડાબેરી ઝુકાવ ધરાવતા મધ્યમમાર્ગી હતા અને સામાજીક-આર્થિક મુદે તેમનો અભિગમ સમતોલ હતો.કેટલાક તેમને જલ્દી ગુસ્સે થનારા આકરા મિજાજ ધરાવતા નેતા તરીકે ઓળખે છે, પણ સતત વ્યસ્ત રહેનારા માણસનો આવ સ્વભાવ સમજી શકાય તેમ છે. તેમને ફાવતુ રાજકીય ગપસપ માટે સમય નહોતો. તે જયારે હળવા મૂડમાં હોય ત્યારે સરળ બની જૂના જમાનાની વાતો કરી સાંભળનારાનું દિલ જીતી લે તેવા વડીલ હતા. તે ડોળ કરી શકતા નહોતા, તે જેવા હતા તેવા દેખાતા.
2019માં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જુદા જુદા પક્ષોએ વરણી કરી એ પહેલાં વરીષ્ઠ પત્રકાર ઈન્ટર મલ્હોત્રાએ એક અજ્ઞાત લેખકને પ્રણવદાને ફ્રન્ટ પર્લે, રેફરન્સ પોઈન્ટ, ટ્રબલ શુટર, લાઈવ વાયર, લાઈટનિંગ રોડ, ફુલક્રમ, ફલાયવ્હીલ અને સરકારના હૃદય અને આત્મા ગણાવ્યા હતા. નજીકની શાળાએ જવા થોડા માઈલ ચાલીને જતા મજબૂર હોઈ તેવા સામાન્ય પરિવારની વ્યક્તિ માટે આવી સિદ્ધીઓ અસાધારણ છે.પ્રણવદાની રાજકીય કારકિર્દી 1967માં શરુ થઈ હતી. એ વખતે બાંગ્લા કોંગ્રેસે તેમને રાજયસભામાં મોકલ્યા હતા. તેમનાથી પ્રભાવિત ઈન્દીરા ગાંધી તેમના પર આધાર રાખતા થઈ ગયા અને 42 વર્ષની વયે તેમની વાણિજય પ્રધાન તરીકે નિમણુંક કરી હતી.