બોલિવૂડ અભિનેત્રી કાજોલે લીધો મોટો નિર્ણય,દીકરી ન્યાસાના અભ્યાસ માટે કાજોલ સિંગાપુર શિફ્ટ થશે


કોવિડ-19 એ સર્વત્ર હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસે બધાને લોકડાઉન કરી પાંજરે પૂર્યા છે. એવામાં બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના બાળકોને લઈને ઘણાં જ ચિંતિત છે. અજય દેવગણ અને કાજોલને પણ દીકરી ન્યાસાની ચિંતા સતાવી રહી છે. ન્યાસા અત્યારે ભારતમાં જ છે. તે સિંગાપુરમાં રહે છે અને ત્યાં જ અભ્યાસ કરે છે, પરંતુ હવે એવા સમાચાર છે કે કાજોલ અને અજય ન્યાસાને એકલી સિંગાપુર મોકલવા નથી ઇચ્છતા. જેથી હવે કાજોલ ન્યાસા સાથે સિંગાપુર શિફ્ટ થવાનો પ્લાન બનાવી લીધો છે.કાજોલ અને અજયની દીકરી ન્યાસા તેના લુકના કારણે હમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. એક રિપોર્ટ મુજબ, કોરોનાને કારણે કાજોલ તેની દીકરીને એકલી સિંગાપુર મોકલવા માંગતી નથી. જેથી તે થોડાં સમયમાં દીકરી ન્યાસા સાથે સિંગાપુર જ રહેશે. જ્યારે અજય દેવગણ દિકરા યુગ સાથે મુંબઈમાં જ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ , ન્યાસા સિંગાપુરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે. વર્ષ 2018માં અજય દેવગણે સિંગાપુરમાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું, જેથી ન્યાસાને રહેવામાં કોઈ તકલીફ ન પડે. કાજોલ હવે આ જ ફ્લેટમાં દીકરી સાથે રહેશે.રિપોર્ટ અનુસાર અજય દેવગણનું તેની ફિલ્મો, ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા અને સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક ફિલ્મ મેદાન પર કામ ચાલી રહ્યું છે. જેથી તે ભારતમાં જ રહેશે.છે.