ખાણોટના સીમાડામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે ગાયના મોત

લખપત તાલુકાનાં ખાણોટ ગામના સિમાડામાં પાણી ભરાયેલા બે ઊંડા ખાડામાં ગાય પડી જતાં મોત થયું હતું.જાણવા મળતી વિગત અનુસાર જેટકો દ્વારા વીજટાવરની ચાલતી કામગીરી અંતર્ગત ૧૨ ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે જેમાં ઉપરથી પાણી ભરાયેલા છે ત્યારે કોઈ કારણોસર ખાડામાં પાણી પીવા કે તેમાં ઉતરતા વધુ ઊંડાઈ હોવાના કારણે બે ગાયોના અરેરાટી ભર્યા મોત થયા હતા. પાસપાસે આવેલા બે ખાડામાં આ ઘટના બની હતી. તંત્રની આવી બેદરકારીના કારણે પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો હતો.જોખમી ખાડાઓની આસપાસ સુરક્ષા માટે વાયરો,ઝાડી વગેરે મૂકવા પણ તસ્દી લેવાઈ ન હોવાથી આ ઘટના બની હતી.

Today  ૦૭/૦૨/૨૦૧૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *