આવતા માસથી ટીવીના ભાવમાં થઈ શકે છે વધારો


(નવી દિલ્હી) આવતા માસ થી ટીવીના ભાવમાં થઈ શકે છે વધારો ૧ ઓકટોબરથી ૫ ટકા ડ્યૂટી ફરીથી લાગુ કરવામાં આવશે તેમ નાણામંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેને કારણે ટીવીના ભાવમાં થોડો વધારો થઇ શકે છે. આ આયાત ડ્યૂટી પર એક વર્ષ માટે રાહત આપવામાં આવી હતી જે પૂરી થઇ રહી છે. સરકારે ગયા વર્ષે ઓપન સેલ પર કસ્ટમ્સ ડ્યૂટીમાંથી એક વર્ષ મટે મુકિત આપવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રોએ કહ્યું કે ટેલિવિઝન અને તેના પાર્ટ્સના ફેઝડ મેન્યુફેકચરિંગ પ્લાન PMP અંતર્ગત આ પગલું લેવાઇ રહ્યું છે, જેથી ભારતમાં માત્ર ટીવી એસેમ્બલિંગનું જ કામ ન થાય અને સંપૂર્ણ ટીવી ઉત્પાદન પણ થઇ શકે. સૂત્રોએ કહ્યું હતું કે કાયમને માટે આયાત પર નિર્ભર ન રહેવું જોઇએ. ગત વર્ષ સુધી રૂ. ૭૦૦૦ કરોડના મૂલ્યના ટીવીની આયાત થતી હતી. સરકારે ટીવી ઉદ્યોગને કસ્ટમ્સ ડ્યૂટી સ્ટ્રકચરમાં રાહત કરી આપી હતી. ડિસેમ્બર ૨૦૧૭થી ટીવીની આયાત ડ્યૂટી વધારીને ૨૦ ટકા કરી દેવાઇ છે. તેમની દલીલ છે કે ૩૨ ઇંચનું ટીવી ઓછામાં ઓછું રૂ. ૬૦૦ જેવું મોંઘુ થઇ શકે છે. અને ૪૨ ઇંચનું ટીવી રૂ. ૧૨૦૦-૧૫૦૦ મોંઘુ થઇ શકે છે. તેનાથી વધુ મોટા ટીવી વધુ મોંઘા થઇ શકે છે.અને ૪૨ ઇંચના ટીવી માટે રૂ. ૪૦૦૦-૫૦૦૦ના ભાવના ઓપન સેલની આયાત કરે છે. ૫ ટકા ડ્યૂટી લાગુ કરવાથી રૂ. ૧૫૦-૨૫૦થી વધારે ડ્યૂટી ન થાય.ટીવી મેન્યુફેકચરર્સ વર્ષે રૂ. ૭૫૦૦ કરોડના મૂલ્યના પાર્ટ્સની આયાત કરે છે. આયાત ડ્યૂટી લાગુ કરવાથી ઘર આંગણે આ પાર્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તેમ સૂત્રએ જણાવ્યુ હતું.