કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાને લીધે અવસાન


કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું કોરોનાને લીધે 65 વર્ષે અવસાન થયું છે. કર્ણાટકના તબીબી શિક્ષણ પ્રધાન ડો. સુધાકર K. A. આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે સુરેશ અંગડીને બુધવારે રાત્રે 8.30 વાગ્યે એઇમ્સમાં દાખલ કરવામાં થયા હતા. અને તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સુરેશ અંગડીનો 11 સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.