ભરતનગર : રિંગ રોડ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું


રિંગ રોડ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને MBAમાં અભ્યાસ કરતા શહેરના એક 25 વર્ષિય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. માતા-પિતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા યુવકને લાગી આવતા યુવકે આ પગલું ભર્યું. બનાવ અંગે ભરતનગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી.
શહેરના રિંગ રોડ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થભાઈ જયેશભાઈ અધવર્યું ઉ.વ.25 એ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. સિદ્ધાર્થના પિતા વડોદરા નોકરી કરે છે. જ્યારે માતા ગાંધીનગર તેનો નાનો ભાઈ અભ્યાસ કરે તેની સાથે રહે છે. અહીં સિદ્ધાર્થ તેના દાદીમાં સાથે રહેતો હતો અને MBAમાં અભ્યાસ કરતો હતો. તેના માતા-પિતા દ્વારા ભણવામાં ધ્યાન આપવાની શિખામણ આપતા તેને લાગી આવ્યું હતું અને તેના લીધે તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.