આખરે જયકિશનભાઈની આઠ માથાભારે શખ્સો વિરુદ્ધની ફરિયાદ અંજાર પોલીસે નોંધી.
અંજારમાં રહેતા જયકિશનભાઈ સેવારામ તૌરાણી દ્વારા તારીખ 29ના અંજાર પોલીસ મથકે ૮ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી.આ આરોપીઓ દ્વારા ૨૦૦૦ની સાલમાં વેચાણ થયેલ ૭૧ પ્લોટોનાં ખોટા દસ્તાવેજો ૨૦૦૪-‘૦૫માં બનાવીને આ આરોપીઓએ બૅન્કમાંથી અંદાજિત ૫ કરોડની લોન કરાવી હતી. આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને લોકોની પોલીસમાં તેમજ કોર્ટમાં ખોટા કેસો કર્યા હતા. આ આરોપીઓની એક ટીમ જે અંજારની સીમમાં કામ કરે છે. જેમાં પચીસેક જેટલા લોકો કામ કરી રહ્યા છે. તો જયકિશનભાઈ દ્વારા આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખાવવામાં આવી છે.