ખાડાઓથી છકડા પલટી મારતાં લોકો દ્વારા રોડ બંધ કરાયો

ગાંધીધામના ભારતનગર જતા માર્ગે પર જનતા કોલોની કોર્નર પર વર્ષોથી આવી ખરાબ સ્થિતિનો કોઇ ઉપાય જ  ન હોય તેમ પાણી ભરાતા સાથે સાથે હવે માર્ગોમાં ઉંડા ખાડા અને ભુવા પડી જવાથી વાહન ચાલકોના જીવ પર જોખમનો પ્રશ્ન આવી જતાં સ્થાનિકોએ પોતાની રીતે જ રોડ બંધ કરવાની ફરજ પડી.

જનતા કોલોની કોર્નર પર દશકાથી ભારે પાણી ભરવાની સ્થિતિ રહેતી હોય છે, ઉપરની પાણી આવકને કારણે જુના વરસાદી નાળાઓ ડટાઈ જવાથી આગળનો માર્ગ ન મળવતા અહી વરસાદ શરૂ થયાની સાથે જ થોડી વારમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ જાય. જેના કારણે ધંધા રોજગાર માટે મુખ્ય શહેરમાં આવતા ભારતનગરના હજારો લોકોને દર વર્ષે પરેશાની થાય છે.

આ વર્ષે પણ આવી જ  સ્થિતિ રહી, અને નિરાકરણ થવાને બદલે સમસ્યામાં વધારો થયો છે. કોર્નર પર પાણી ભરાયા બાદ અહી  રોડ પર મોટા ખાડા પડ્યા, પાણી ભરાયેલુ રહેતું હોવાથી  અંદાજો ન આવતા રોજ દ્રી-ચક્રી વાહનોમોટા પ્રમાણમાં સ્લીપ થઈ જતાં ,પડવાની ઘટનાઓ બને છે, સ્વંતત્રતા દિવસે જ પ્રવાસીઓ સાથે જઈ રહેલા છકડા પસાર થતા પલટી મારી જતાં અને ચાલક સાથે પ્રવાસીઓનો જીવ પણ ઉપર ચડ્યો હતો.

સ્થાનિક જાગૃત યુવાનો રાજેશભાઈ બારોટ, કિશનભાઈ રામનાની અને આસપાસના વેપારીઓએ દોડીને લોકોનો બચાવ કર્યો હતો. આવી સ્થિતિ વારંવાર ઉત્પન થતી હોવાથી કંટાળીને આ રોડ પર યુવાનો દ્વારા જ  આગળ દંડો લગાવીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાના થયાના બીજા દિવસે ભરાયેલા પાણીને ખેંચવાના પ્રયાસ કરતા મશીનોને સ્થાનિક નગરસેવકોના પ્રયત્ન થી લગાવાયા હોવાનું સામે આવ્યું. પરંતુ આ કોર્નર પર વર્ષો જુની આ સમસ્યાનો કાયમીધોરણે નિરાકરણ  ક્યારે આવશે તે પ્રશ્ન ગંભીર બનતો જાય છે.