માતાના મઢ પદયાત્રીઓ એ ખાસ નોંધ લેવી

હાલમાં જયારે નવરાત્રી આવી રહી છે ત્યારે લોકો માતાના મઢ પગપાળા જવાના શરૂ થયા છે. ત્યારે અમુક લુખ્ખા તત્વો થી સાવધાન રહેવા અપીલ કરાય છે અને પગપાળા જતી વખતે ગણી વખત નાના મોટા અકસ્માતો જેવા અનેક બનાવો બનતા હોય છે. ત્યારે આ પગપાળા જતાં લોકો ખાસ આવા બનાવો ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે ગણી જગ્યા એ કેમ્પ લગાવામાં આવ્યા છે ત્યારે તે કેમ્પોમાં ગૌમાતા માટે દાન પેટી રખાય તેવી અપીલ કરવામાં આવે છે. જેથી પગે જતાં પદયાત્રીઓ ફૂલ નઇ તો ફૂલની પાખડી દશ રૂપિયા નહીં તો બે રૂપિયા આ બોક્સમાં નાખે જેથી ગૌમાતા ની પણ એક સેવા થાય.