નખત્રાણાના નેત્રાગામ પાસેના તળાવમાંથી વેપારી યુવકની લાશ મળતા ચકચાર


નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં રહેતા અને ગામમાં દુકાન ચલાવી વેપાર કરતા 30 વર્ષીય યુવક વહેલી સવારે ઘરેથી નીકળી ગયા પછી પરિવારજનો શોધખોળના કરતાં છેવટે ગામ નજીકના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવતાં પોલીસે ઘટના સબંધિત તપાસ શરૂ કરી છે.
પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નેત્રા ગામે રહેતા અને ગામમાં જ સ્ટેશનરીની દુકાન ઘરાવતા ફીરોઝ ઓસમાણ કુંભાર નામના વેપારી પોતાના ઘરેથી સવારે પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં નીકળી ગયા પછી મોડી રાત સુધી પાછા ન આવતાં પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નખત્રાણા પોલીસ મથકમાં પુત્રની ગુમ નોંધ દાખલ કરાવી. આ દરમિયાન સવારે નેત્રા ગામ પાસે આવેલા સીતળા માતાજીના મંદિર પાસેના તળાવમાંથી ફીરોજની લાશ મળી આવી હતી.
જેને તાત્કાલિક બહાર કાઢ નખત્રાણા સીએચસીમાં લઇ જવાતાં હતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે તપાસ કરી રહેલા નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શબીરઅલી મહમદકરીમ બાયડએ જણાવ્યું હતું. કે, મૃતક પરણિત છે. વહેલી સવારે તેમને તેમના પિતાએ નમાજ અદા કરવા જવા માટે જગાડ્યો હતો. ત્યાર બાદમાં મૃતક ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો., ફીરોઝ ક્યાં કારણથી તળાવમાં ડૂબી ગયો તે વિશે હજુ સુધી તેમના પરિવારજનોને જાણ નથી, હજુ સુધી કોઇ કારણ જાણવા મળ્યું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.