નિરોણાની ભરૂડી નદીમાં રેતીનો ભરાવો, તાકીદે લીઝ મંજુર ન થાય તો ગામમાં નુકસાનીની શક્યતા

copy image

પાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણા ગામે આવેલી ભરૂડી નદીમાં ગાંડા બાવળ અને રેતીના ભરાવાના કારણે નદીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થયો છે જેના કારણે નદીનું પાણી નિરોણા ગામ તરફ ફરી વળતા નુકસાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ સમસ્યાના ઉકેલ માટે લિઝ મંજુર કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

નુકસાન નિવારણ માટે સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલાં નદીના કુદરતી વહેણમાં સાફ સફાઈ,ગાંડા બાવળ દૂર કરવા તેમજ નદીપટ્ટની રેતી દૂર કરવા વહીવટ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. 1.5 માસ અગાઉ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ પણ ગામની મુલાકાત લઈ નદીના પૂરના કારણે થયેલ નુકસાનની જાત માહિતી મેળવી રેતીના નિકાલ માટે અહીં લિઝ મંજુર કરવામાં આવે તે બાબતે ખાણ ખનીજ વિભાગને સૂચવ્યું હતું. જોકે હજી સુધી કાર્યવાહીમાં ઝડપ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહી છે.