કુમાર છાત્રાલયની સ્થિતિ ન સુધરી તો તાળાબંધીની ચીમકી અપાઈ

copy image

ભુજ શહેર સ્થિત ડો. બાબાસાહેબ સરકારી કુમાર છાત્રાલયમાં આવશ્યક અને અનિવાર્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી, જે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બહુમાળીભવન સ્થિત સમાજ કલ્યાણ ખાતાના નિયામક પાસે રજુઆત કરવામાં આવી હતી અને 20 દિવસમા સ્થિતિ ન સુધરી તો છાત્રાલયને તાળાબંધીની ચિમકી અપાઈ હતી.

રજુઆતમાં જણાવાયું હતું કે, પાણીથી માંડીને બાથરૂમ સુધીની દરેક સગવડ સુવિધા ત્રાસદાયક સ્થિતિએ વણસી ગઈ છે, જેથી વિદ્યાર્થીઓ ત્યાં રહેવામાં પણ અચકાય છે. પંખા, લાઈટ વગેરે જરૂરી વીજ ઉપકરણોનો અભાવ છે. પુસ્તકો, પથારી, ગોદડા આપવામાં નથી આવતા. નિયમિત સફાઈ અને મચ્છરો મારવા દવા છંટકાવની આવશ્યકતા છે.

શિયાળામાં ગરમ પાણીની સુવિધા હોવી જોઈએ. બારી બારણા તૂટી ગયા છે જે બદલાવવાની આવશક્યતા છે. ધરણા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, પ્રકાશ મારવાડા, મનોખ દનિચા, એઆઈ.એમઆઈ.એમમાંથી ઈબ્રાહિમ હાલેપોત્રા, ગુલામ શાહ, દેવ મારવાડા વિદ્યાર્થીઓમાં શિવજી સીજુ, સામજી બુચિયા, વિજય બાભણીયા, દિનેશ બળિયા જોડાયા હતા.