રાપરના પગીવાંઢમાં પરિણીતાનો કુવામાંથી મૃતદેહ મળતાં ચકચાર મચી

રાપર તાલુકાના પગીવાંઢ મધ્યે કુવામાંથી પરણીતાનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પગીવાંઢના 20 વર્ષીય પરણીતા ભારતીબેન જયંતીભાઈ કોલીએ કોઈ અગમય કારણોસર કુવામાં કૂદી જતાં મૃત્યુ પામી હતી જેને રાપર સહયોગ આરોગ્ય કેન્દ્ર મધ્યે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે મૃત ઘોષિત  કરતા પરિવાજનોમાં શોક છવાયો હતો. સાત આઠ મહિના પૂર્વે જ પરણાવેલ ભારતીબેન કોલીએ ક્યા કારણોસર કુવામાં કૂદકો માર્યો તે બાબતે અનેક તર્ક વિતર્ક કરાયા હતા. તો હોસ્પિટલ મધ્યે એકઠા થયેલા પિયર પક્ષના કેટલાંક લોકો હત્યાની પણ શંકા વ્યક્ત કરતા સંભળાયા હતા. રાપર સરકારી હોસ્પિટલ મધ્યે પરણીતા ના સાસરિયા અને પિયર પક્ષ સાથે સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં