કંડલામાં ગોદામમાં ઉંદર મારવાની દવા છાંટતી યુવતીને ઝેરી દવાની અસર થતાં મૃત્યુ

ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા 21 વર્ષીય નયનાબેન માદેવાભાઇ ગોહિલ ગત બપોરે 3 વાગ્યાના સમયગાળામાં નવા કંડલામાં એસીટી ગોડાઉનમાં આવેલા ભગવતી લેક્ટુફેરીટેરિયન કંપનીના ગોદામમાં ઉંદર મારવાની દવા છાંટી રહી હતી તે દરમિયાન ઝેરી દવાની અસર તેમને થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે પહેલાં જ તેમનો મૃત્યુ  થયું છે. રામબાગ હોસ્પિટલના ડોક્ટરે આપેલી વિગતોના આધારે કંડલા મરિન પોલીસ મથકના પીએસઆઇ ડી.જી.પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.