અમદાવાદના સાબરમતીના અંબાજી મંદિરમાંથી ચાંદીના છત્રની તસ્કરી થતાં હોબાળો

સાબરમતી ઇન્દિરાનગરમાં આવેલા મંદિરમાં અંબાજી માતાની મૂર્તિ પર ચઢાવેલું રૂ.9 હજારની કિંમતનું ચાંદીનું છત્રની કોઈ તસ્કરી કરી જતાં સ્થાનિક લોકોમાં ભારે હોબાળો મચ્યો હતો. આ બનાવ અંગે સાબરમતી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સાબરમતી ઇન્દિરાનગરમાં રહેતા અને એરપોર્ટ પર લોડર તરીકે 58 વર્ષીય ચંન્દ્રકાન્ત પરમાર ફરજ બજાવે છે. તેઓ ઇન્દિરાનગરમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને મંદિરમાં પૂજારી તરીકે ગૌતમ વાઘેલા કાર્ય કરે છે. સાંજે 6.30 વાગે ચંન્દ્રકાન્તભાઈ મંદિરમાં આરતી કરવા માટે ગયા હતા ત્યારે ગૌતમભાઈએ કહ્યું હતું કે, સવારે 7 વાગે મંદિરે આવ્યો હતો ત્યારે માતાજીની મૂર્તિને ચઢાવેલું રૂ.9 હજારની કિંમતનું ચાંદીનું છત્ર કોઇ ચોરી ગયું છે. આ વાતની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ અજાણ્યો સખ્શ ચાંદીનું છત્ર ચોરી કરીને ભાગતો નજરે પડ્યો હતો.