નવસારીમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા: શાળાના આચાર્યએ માર મારતા આ પગલું ભર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ

copy image

નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામમાં ધોરણ 12માં ભણતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરીને જીવન ટુંકાવી લીધું છે. જેમાં પરિવારજનોએ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય પર આક્ષેપ કર્યો. પરિવારનો આક્ષેપ છે કે, દ્રષ્ટિ પટેલ એકમ કસોટીની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યાએ તેને શાળામાં માર માર્યો જેને કારણે દ્રષ્ટિએ આ પગલુ ભર્યું છે. તેથી પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો કર્યો હતો.

ફરિયાદી પરિમલ કાંતિભાઈ પટેલ કે, જે મલવાડામાં મજૂરી કરીને ગુજરાન ચલાવે ચ્હે. તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરાવી છે કે, તેમની 17 વર્ષીય દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી. ગત 28મીએ યુનિટ ટેસ્ટ લેવાઇ હતી, જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું. બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી , જે દ્રષ્ટિએ ન કરાવતા માર મારાયો હતો. જેથી મનમાં લાગી આવ્યું હતું જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યુ હતું.

ચીખલી પોલીસમાં નોંધાયેલ  ફરિયાદમાં અત્યાર સુધી આચાર્યનો ઉલ્લેખ કરાયો નથી. માત્ર વિદ્યાર્થિનીને બોલાચાલીમાં માઠું લાગી આવતા તેણે આત્મહત્યા કર્યાની નોંધ કરાઇ છે. શાળામાં હોબાળો થતા હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બંને આરોપી સામે કાયદેસરના પગલાં લેવાય તે માટેની તજવીજ શરૂ કરાઇ છે.