શંખેશ્વરમાં જૂની અદાવત મુદ્દે બે યુવકો વચ્ચે મારામારી, એકનું મોત


શંખેશ્વરનાં ધનોરા ગામમાં ગતરાત્રે જૂની અદાવત મામલે મારામારી થતા એક યુવકનું મોત થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બનનાવના પગલે આરોપીને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
શંખેશ્વરના ધનોરા ગામમાં જૂની અદાવત મુદ્દે ગામમાં બે સમાજના સ્ખ્શો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીમાં દરમિયાન એક સખ્શ પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરાતા ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માએ ખસેડવા દરમ્યાન મૃત્યુ નીપજયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગામમાં સખ્શનું મારામારીમાં મૃત્યુ થતાં માહોલ ગરમાઈ ગયો હતો. બનાવના પગલે પોલીસને જાણ થતાં ગામમાં પહોંચી સ્થિતિ વણસે તે પહેલાં બંદોબસ્ત ગોઠવી હત્યાના આરોપીઓને ઝડપવા તપાસનો દોર શરૂ કરાયો હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.