જલંધર ગામમાં પડતર જમીનમાં વાવેતરના મુદ્દે 2 પરિવાર વચ્ચે લાકડી, દાતરડાથી મારામારી


માળીયા પંથકના જલંધર ગામમાં પડતર જમીનમાં વાવેતરના મનદુઃખે બે પરિવાર વચ્ચે મારમારી થઈ અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
આ વિશે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર,માળીયા પંથકના જલંધર ગામમાં રહેતાં ભુપતભાઈસામતભાઈ કરમટાએ દાખલ કરાવેલી ફરિયાદ અનુસાર, ભુપતભાઈની જમીન પાસે જ પડતર જમીન આવેલી હોય જે સમજુબેન વાઢેર અને પૌત્રવધુ ,નરેશ વાઢેર આ જમીન ખેડી વાવેતર કરતાં હોવાથી તે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને ભુપતભાઈ અને અન્ય સભ્યોને ગાળો આપી હતી ઉપરાંત વિજયની પત્નીએ પુરીબેન,રાણીબેન પર દાંતરડા વડે હુમલો કર્યો અને ઈજા પહોંચાડતા પોલીસ ફરિયાદ દાખલ કારવાઈ હતી.
જ્યારે કોમલબેન વિજયભાઈ વાઢેરે દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર કોમલબેન અને ભુપતભાઈની જમીન પાસે પડતર જમીન હોવાટી જેમાં કોમલબેન ના પરિવારે વાવેતર કર્યું હોય જે બાબતના મનદુઃખને લઈ રાણીબેન,પુરીબેન,હેમીબેન,ભુપતભાઈ,રામભાઈ,સામતભાઈ,ગોવિંદભાઇએ કોમલબેન,અન્ય સભ્યોને ગાળો આપી હતી તથા લાકડી,કુહાડી, દાંતરડા જેવા હથિયારો વડે કોમલબેન,સભ્યોને લાકડી વડે માર માર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.