ગરબા રમી ઘરે પાછા ફરી રહેલા આધેડનું ટુ-વ્હિલર દીવાલ સાથે ટકરાતાં મોત

અમરાઈવાડીની પદમાવતી પાર્કમાં રહેતા 47 વર્ષીય પરશરામ જીતુરી રાત્રિના સમયે મણિનગર મધ્યે ગરબા રમીને તેમના દીકરા જય અને દીકરી દિયા સાથે ટુવ્હિલર લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમની સ્પીડ વધુ હોવાથી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા હાટકેશ્વર પાસે આવેલ ખોડિયાર માતાના મંદિર નજીકની પદમાવતી પાર્ક સોસાયટીની દિવાલ સાથે ટુવ્હિલર ભટકાયું હતું. જેથી પરશરામ અને તેમના બંને સંતાનોને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન ફરજ પરના તબીબે પરશરામને મૃત ઘોષિત કર્યા હતા.