જામનગરના ગુલાબનગરમાં માતાના અવસાન બાદ ગુમસુમ રહેતા પુત્રએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી


શહેરના ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપના ઢાળીયા પાછળ રંગમતી સોસાયટીમાં રહેતા સોહમકુમાર પ્રદિપભાઇ લબાટે (ઉ.વ.23) નામના યુવાનની માતા રીતાબેનનું મોત એક મહિના પૂર્વે થયું હતું જે બાદ સોહમ ગમગીન અને ઉદાસ રહેતો હતો તેના માતાનું દુ:ખ સહન ન કરી શકતા પોતાના ઘરે છતમાં પંખો લગાવવાના હુકમાં રસી મારફતે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે તેની લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.