ભરૂચમાં ત્રણ હોટલના ત્રણ મેનેજરો સામે ગુનો દાખલ કરાયો


ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓક્ટોબરના એક તરફ પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાં એસઓજી દ્વારા વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસ સહિતના આશ્રય સ્થાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં 3 આશ્રય સ્થાનોમાં સંચાલકો દ્વારા પોલીસ દ્વારા અપોલાં પથિક સોફ્ટવેરમાં તેમના ગ્રાહકોની એેન્ટ્રી કરી ન હોવાનો સામે આવતા તેમની સામે કાર્યવાહી કરાઈ છે.
ભરૂચ શહેર જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ કોઇ મોટી ગુનાઇત પ્રવૃત્તિને અંજામ આપવાના ઇરાદાથી જિલ્લામાં કોઇ પણ સ્થળે રોકાણ કરવાની સંભાવનાઓ હોય છે. ત્યારે આવા શકમંદોને તુરંત ઓળખી શકાય અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય તે માટે જિલ્લામાં આવેલી દરેક હોટલ-ગેસ્ટ હાઉસ તથા મુસાફર ખાનામાં ભરૂચ પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાયા છે.
10મી ઓક્ટોબરના રોજ ભરૂચના જંબુસર મધ્યે પીએમ મોદીના કાર્યક્રમને લઇને તૈયારીઓ ચાલે છે ત્યારે ભરૂચ એસઓજીની ટીમ દ્વારા શહેર-જિલ્લાની હોટલો, ગેસ્ટહાઉસ, મુસાફરખાના સહિતના આશ્રય સ્થાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં ટીમ દ્વારા આશ્રયસ્થાનમાં રોકાયેલાં ગ્રાહકો વિશેની વિગતો પોલીસ વિભાગના પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી થઇ છે કે કેમ તેની તપાસ કરતાં શહેરના સ્ટેશન સર્કલ નજીકની હોટલ શ્રીપ્લાઝા, ફલશ્રુતિ નગર પાસેની સવાનિકા ગેસ્ટહાઉસ તેમજ અંજુમને ઇસ્લામિક મુસાફરખાનામાં ચોક્કસ એન્ટ્રીઓ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે ટીમે ત્રણેય આશ્રયસ્થાનોના મેનેજરો સામે ગુનો દાખલ કર્યો હતો.
આરોપીઓના નામ: હોટલ શ્રી પ્લાઝાના મેનેજેર શોકત મલેક રહે. રહેમતપાર્ક, ભરૂચ, સવાનિકા ગેસ્ટ હાઉસના મનેજર દિગમ્બરસિંહ સિંગ રહે. ભરૂચ, ઇસ્લામિક મુસાફરખાનાના મેનેજર ઇકરામ સંચાવાલા રહે. સિતપોણ