અંજારમાં ફીનાઇલ પી લેતા યુવકનું મોત


અંજારના લશ્કરી ફળિયું, સોરઠીયા નાકા મધ્યે રહેતા 28 વર્ષીય ઈરફાનશા શાહનવાઝ સૈયદે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધું હતું. જેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન હતભાગી યુવાનનું મોત નીપજયું હતું. જે વિશે અંજાર પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુની નોંધ કરાઈ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.