કચ્છના મોટા રણમાં પરીક્ષણ પછી બખ્તરબંધ વાહનો સેનાને અપાયા


કચ્છના રણ અને લેહના બર્ફીલા પહાડોમાં જેનુ પરીક્ષણ કરાયુ છે તેવા બખ્તરબંધ વાહનો ભારતીય સેનાને મળ્યા છે. સંરક્ષણ કંપની ભારત ફોર્જ લિમિટેડે UN પીસકીપિંગ ઓપરેશન્સના ભાગરૂપે ભારતીય સેનાને 16 કલ્યાણી M-4 બખ્તરબંધ વાહનો સોંપ્યા છે.કલ્યાણી M-4 એ અત્યાધુનિક આર્મર્ડ પર્સનલ વ્હીકલ છે જે તેની અંદર રહેલા કર્મચારીઓને લેન્ડમાઇન વિસ્ફોટ અને ગ્રેનેડ હુમલા સહિતના ઉચ્ચ જોખમોથી બચાવવા માટે રચાયેલા છે.
“ભારત ફોર્જ લિમિટેડે આજે UN પીસકીપિંગ ઓપરેશન્સમાં તૈનાત માટે ભારતીય સેનાને 16 વિશ્વ કક્ષાના અને સ્વદેશી બનાવટના કલ્યાણી M-4 વાહનોની ડિલિવરી કરી,” એવું કંપનીએ જણાવ્યું હતું. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા એન કલ્યાણીએ જણાવ્યું હતું કે, “યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ મિશન માટે કલ્યાણી M-4 ઉપલબ્ધ કરાવવા બદલ અમને ગર્વ છે. તાજેતરમાં જ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે આ વાહનને પોતાના કાફલામાં સામેલ કર્યું હતું. કચ્છના લેહ અને રણના બરફવાળા વિસ્તારમાં કલ્યાણીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.