ખોટી ફેલાવાતી અફવાઓથી સાવધાન

આજરોજ સોશ્યલ મીડીયામાં એક સમયાર વાયરલ થયેલ હોઇ જેમાં જણાવેલ છે કે “મિરઝાપર ગામમાં છોકરા પકડવાની ગેંગ સક્રીય મિરઝાપરની જાગૃત જનતાએ ગેંગ ને પકડી પાડી પોલીસ ને સોપી ૪ મહીલાઓ અને ૦૩ પુરૂષો” વિગેરે મથાળા હેઠળના સમાચાર વાયરલ થયેલ હોઇ જે અન્વયે જણાવવાનુ કે આજરોજ ભુજ શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશન પો.સ્ટે. વિસ્તારમાં ગરીબ ક્લ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવેલ હતુ જેના બંધોબસ્તામાં મોટા ભાગના ભુજ શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનનના અધિકારીઓ/કર્મચારીઓ રોકાયેલ હોઇ અને મિરઝાપર ગામના રહેવાસીઓએ કોઇ છોકરાઓ ઉપાડી જતી ગેંગને પકડેલ છે અને ત્યા માણસોના ટોળાઓ ભેગા થઇ ગયેલ હોવાનુ જાણાવવા મળતા કોઇ અઘટીત બનાવ ના બને તે સારૂ તાત્કાલીત તે જગ્યાએ પોલીસની ગાડી સાથે પુરતો પોલીસ સ્ટાફ મોકલાવતા ત્યા ઘણા માણસોનુ ટોળુ ભેગુ થઇ ગયેલ હોઇ અને તેઓએ મુસ્લીમ સમુદાયની ચાર મહીલાઓ તથા ત્રણ પુરૂષોને પકડેલ હોઇ જેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી મિરઝાપર ગામના રહેવાસી પાસેથી બનેલ બનાવ અંગે અરજી લઇ બનાવ બાબતે તપાસ કરતા જે લોકો મળી આવેલ તેમાં (૧) ઇકબાલ અયુબ મમણ ઉ.વ.૩૩ (૨) અલીમામદ ઇસ્માઇલ મમણ ઉ.વ.૪૫ (૩) અબ્દુલ હુશેન મમણ ઉ.વ.૩૩ (૪) સરીફાબેન વા/ઓ સ્વ.હુશેનભાઇ મિંઢા ઉ.વ.૬૦ રહે-તમામ ગામ કિડાણા તા.ગાંધીધામ (૫)ફાતમાબાઇ વા/ઓ અનવરભાઇ સમા ઉ.વ.૫૦ રહે-ભારાપર તા.ભુજ (૬) હસીનાબેન વા/ઓ જાનમમાદ બાફણ ઉ.વ.૪૦ રહે-રતનાલ તા.અંજાર (૭) હલીમાબેન વા.ઓ કાસમભાઇ મથડા ઉ.વ.૪૫ રહે-ઉપલાવાસ બળદીયા તા.ભુજ વાળાઓ હોઇ જેઓ બાબતે જરૂરી તપાસ કરતા કરાવતા જાણવા મળેલ હોઇ કે આ લોકોમાથી જે ઇકબાલ અયુબ મમણ છે તેમની નાની બહેન મુમતાઝ ઉ.વ.રર વાળી ગઇ તા.૧૩/૧૦/૨૦૨૨ ના રોજ ઘરેથી ચાલી ગયેલ હોઇ અને આ બાબતે તેઓએ ગાંધીધામ શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે લેખીતમાં અરજી પણ આપેલ હોઇ જે મુમતાઝબેનની શોધખોળ કરવા બાબતે મિરઝાપર આવેલ હોવાની હકિકત જાણવા મળેલ છે અને આ બાબતે જરૂરી તપાસ કરતા કરાવતા આ હકિકત સત્ય હોવાનુ જણાય આવેલ છે તેમજ આ લોકો અગાઉ પણ કોઇ પણ ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલ નહી હોવાનુ જણાય આવેલ છે. જેથી ઉપરોક્ત માણસો અંગે સર્વ પાસા તળે જરૂરી તપાસ કરતા કરાવતા તેઓ “કોઇ છોકરા પકડતી ગેંગના સભ્ય ન હોવાનુ અને એક સમાન્ય નાગરીકો હોવાનુ જણાય આવેલ છે.” જેથી સમગ્ર ભુજ શહેરની જનતાને આવી ખોટી ફેલાવાતી અફવાઓથી સાવધાન રહેવા અને હવે કોઇ પણ જગ્યાએ આવો કોઇ બનાવ બને ત્યારે કાયદો હાથમાં નહી લઇ પ્રથમ પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે. “અફવા ફેલાવી તે ગુનો છે” કોઇએ અજાણ્યા માણસ કે વ્યક્તીઓ ઉપર શક વહેમ હોઇ તો તાત્કાલીત જે તે પોલીસ સ્ટેશને અથવા તો ૧૦૦ નંબર પર જાણ કરવી.