અંજારના નિંગાળ ગામમાં પત્ની પિયરે જતા માઠું લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ જિંવન ટૂંકાવ્યું


અંજાર તાલુકાના નિંગાળ ગામમાં રહેતા દંપતિ વચ્ચે ઘર કંકાસ હતો. જેથી પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ ત્યારે આ વાતનું મનમાં લાગી આવતા યુવાને પોતાના પતરાવાળા રૂમમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ અંતિમ પગલો ભરી લીધો હતો.
અંજાર પોલીસ મથકેથી પી.એસ.આઇ બીએસ ચૌહાણએ જણાવ્યું હતું કે, સવારના સમયમાં આ ઘટના બની હતી. તાલુકાના નિંગાળ ગામમાં રહેતા શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.35) અને તેમની પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી, જેથી મહિલા પિયરમાં રહેવા માટે ચાલી ગઈ હતી.
આ વાતનું મનમાં લાગી આવતા શક્તિસિંહ પોતાના પત્રાવાળા રૂમમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ગામના લોકો એકત્ર થઈ ગયા હતા અને યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત ઘોષિત કર્યો હતો. જે વિશે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.