ફતેપુરા બ્રિજ નજીક વાહનની અડફેટે સુરતના યુવકનું મૃત્યુ

ભાવનગર જિલ્લાના ઇગોરાળા ગામના 28 વર્ષીય સુભાષભાઈ સવજીભાઈ સોલંકી હાલમાં સુરત વરાછા રતનજી નગર સોસાયટી મધ્યે રહે છે. અને સુરતમાં ડાયમંડ વર્કશોપમાં હીરાનું કામકાજ કરે છે. શુક્રવારે સવારે સુભાષભાઈ સોલંકી, મિત્ર ડાહ્યા કરગઠિયા તથા તેમના કાકાના દીકરો ભૌતિક એમ ત્રણેય જણાં બે અલગ-અલગ બાઈક પર ઈગોરાળા જવા માટે નીકળ્યા હતા.

પોતાના બાઈક પાછળ મિત્ર ડાયાભાઈ કરગઠિયા (રહે. પોરબંદર)ને બેસાડ્યા હતા. જ્યારે તેઓના કાકાના દીકરા ભૌતિકભાઈ એકલા બાઈક ચલાવતા નીકળ્યા હતા. બે બાઈક પર સવાર સુભાષભાઈ, ડાયાભાઈ અને ભૌતિકભાઈ તારાપુર મોટી ચોકડી પસાર કરીને જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક લઈને આગળ જઈ રહેલા ભૌતિકભાઈના બાઇકને ફતેપુરા બ્રીજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.