ભાજપમાં ટિકિટની દાવેદારી મુદ્દે સી આર પાટીલનું મોટુ નિવેદન
ભાજપમાં ટિકિટની ખેંચતાણ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું, અને કહ્યું કે, ટિકિટ માગવી એટલે જૂથવાદમાં હોય તેવું માનવાની જરૂર નથી. ભાજપના કાર્યકરો એકજુટ થઇને ચૂંટણી જીતશે, ટિકિટ માગવી દરેક કાર્યકર્તાનો અધિકાર છે. અને ટિકિટ માગનાર તમામ દાવેદારો ચૂંટણી જીતવા સક્ષમ છે, અને કોને કંઈ બેઠક પરથી ટિકિટ આપવી તે હાઈકમાન્ડ આખરી નિર્ણય કરશે.
